એર ઇન્ડિયા ક્રેશના પીડિત પરિવારોને વળતર ચૂકવવામાં ધાંધિયા

Tuesday 12th August 2025 15:42 EDT
 
 

લંડનઃ અમદાવાદમાં એર ઇન્ડિયા ક્રેશના મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં થઇ રહેલા વિલંબ માટે તેમનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકાના અગ્રણી એટર્ની માઇક એન્ડ્રુઝે આકરી ટીકા કરી છે. એર ઇન્ડિયા દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરાઇ હતી પરંતુ હજુ રૂપિયા 25 લાખ (28522 ડોલર) જ વળતર પેટે 229 મૃતક પ્રવાસીઓના 147 પરિવારોને ચૂકવાયા છે. અંતિમ ચૂકવણી વખતે આ રકમ એડજસ્ટ કરાશે.

એન્ડ્રુઝે જણાવ્યું હતું કે અમે એક પરિવાર સાથે મુલાકાત કરી હતી. દુર્ઘટનામાં પુત્રને ગુમાવનારી માતા પથારીવશ છે. સારવાર માટે માતા આ પુત્ર પર જ આધારિત હતી પરંતુ હવે તે આ દુનિયામાં રહ્યો નથી. આ દુખિયારી માતાને હજુ વળતરની રકમ ચૂકવાઇ નથી. આ માતા હવે દુનિયાની દયા પર જીવવા મજબૂર બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter