એર ઇન્ડિયાનો વિમાની કાફલો ભયાવહઃ બ્રિટિશ ભારતીયનો આક્રોશ

એર ઇન્ડિયા દ્વારા પ્રવાસીઓ સાથે થતા વર્તન સામે ડાયસ્પોરામાં ઘણો રોષઃ તુષાર જોગી

Tuesday 17th June 2025 12:09 EDT
 

લંડનઃ એર ઇન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા વૃદ્ધ દંપતીના બ્રિટિશ ભારતીય પરિજને એર ઇન્ડિયા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાના વિમાનો ભયાનક છે. વડોદરાના વલ્લભ નાગજી અઘેડા અને તેમના પત્ની વીણાબેનનું ક્રેશમાં નિધન થયું હતું. તેમના પરિજન તુષાર જોગીએ જણાવ્યું હતું કે, આ સમાચાર સાંભળીને અમારો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. 70 વર્ષ વટાવી ચૂકેલા વલ્લભભાઇ અને વીણાબેન યુકેના રીડિંગમાં રહેતી તેમની સૌથી મોટી દીકરી સાથે થોડા મહિના વીતાવવા આવી રહ્યાં હતાં.

તુષાર જોગીએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ઇન્ડિયન ડાયસ્પોરા મધ્યે એર ઇન્ડિયા દ્વારા પ્રવાસીઓ સાથે થતા વર્તન મુદ્દે ઘણો આક્રોશ છે. એર ઇન્ડિયાનો વિમાની કાફલો ભયાવહ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter