લંડનઃ એર ઇન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા વૃદ્ધ દંપતીના બ્રિટિશ ભારતીય પરિજને એર ઇન્ડિયા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાના વિમાનો ભયાનક છે. વડોદરાના વલ્લભ નાગજી અઘેડા અને તેમના પત્ની વીણાબેનનું ક્રેશમાં નિધન થયું હતું. તેમના પરિજન તુષાર જોગીએ જણાવ્યું હતું કે, આ સમાચાર સાંભળીને અમારો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. 70 વર્ષ વટાવી ચૂકેલા વલ્લભભાઇ અને વીણાબેન યુકેના રીડિંગમાં રહેતી તેમની સૌથી મોટી દીકરી સાથે થોડા મહિના વીતાવવા આવી રહ્યાં હતાં.
તુષાર જોગીએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ઇન્ડિયન ડાયસ્પોરા મધ્યે એર ઇન્ડિયા દ્વારા પ્રવાસીઓ સાથે થતા વર્તન મુદ્દે ઘણો આક્રોશ છે. એર ઇન્ડિયાનો વિમાની કાફલો ભયાવહ છે.