ઔરમાનસિંહના પાંચ હત્યારાને કુલ 100 વર્ષ કરતાં વધુ કેદની સજા

Tuesday 16th April 2024 10:44 EDT
 
 

લંડનઃ ડીપીડી વર્કર ઔરમાનસિંહની હત્યામાં સંડોવાયેલા પાંચ હત્યારાને સ્ટેફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા કુલ 100 કરતાં વધુ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. કોર્ટે અર્શદીપ સિંહને 28 વર્ષ, જગદીપસિંહને 28 વર્ષ, શિવદીપસિંહને 28 વર્ષ, મનજોત સિંહને 28 વર્ષ અને સુખમનદીપસિંહને 10 વર્ષની કેદ ફટકારી હતી. પાંચે આરોપીએ કોર્ટમાં ઔરમાનસિંહની હત્યાનો આરોપ નકારી કાઢ્યો હતો પરંતુ હકીકત એ છે કે પોલીસે તેમને હત્યા કરીને નાસતી વખતે રંગેહાથ ઝડપી લીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter