અગાઉ, સપ્તાહના આરંભે ચૌધરીએ એમ કહ્યાનું મનાય છે કે, સીરિયામાં પકડાયેલા સ્વયંસેવી સહાય કાર્યકર્તા એલન હેનિંગ પ્રત્યે તેને કોઈ સહાનુભૂતિ નથી. તેણે કહ્યું હતું કે કુરાનમાં બીન-મુસ્લિમો માટે દિલગીર થવાની પરવાનગી અપાઈ નથી. મને તેના પ્રત્યે કોઈ દિલગીરી નથી. ત્રાસવાદીઓની ભરતી માટેની પ્રચાર ફિલ્મમાં અંજેમ ચૌધરીના સંબોધનના ફૂટેજનો ઉપયોગ કરાયો છે. ચૌધરી ૨૦૧૦માં પ્રતિબંધિત કરાયેલા અલ-મુહાજિરોન સંગઠનનો સહ-સ્થાપક છે. સંગઠને અનેક વખત નામ બદલ્યાં છે. અગાઉના ૧૨ વર્ષમાં યુકેમાં ત્રાસવાદ બદલ દોષિત ઠરાવાયેલા ઈસ્લામિક કટ્ટરવાદીઓના ૧૮ ટકા આ જૂથ સાથે સંકળાયેલા હતા. ફ્યુસિલિયર લી રિગ્બીની ઘાતકી હત્યા માટે જેલની સજા પામેલા માઈકલ એડબોલાજો અને માઈકલ એડબોવાલે સહિત સંખ્યાબંધ ઉદ્દામવાદી યુવાનો ચૌધરીના સંપર્કમાં રહેતા હતા.
