કનિષ્ક નારાયણ, સતવીર કૌર અને હરપ્રીત ઉપ્પલ બર્નહામ કેબિનેટના ભારતીય ચહેરા

લિસા નેન્ડી કલ્ચર સેક્રેટરી તરીકે યથાવત, સીમા મલ્હોત્રા અને પ્રીત કૌર ગિલ બેક બેન્ચ પર પરત ફર્યાં

Wednesday 29th July 2026 08:11 EDT
 

લંડનઃ જુલાઈ 2024ની સંસદીય ચૂંટણીમાં ચૂંટાયેલા લેબર પાર્ટીના ત્રણ યુવાન ભારતીય મૂળના સાંસદોને  વડાપ્રધાન એન્ડી બર્નહામની નવી કેબિનેટમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કનિષ્ક નારાયણ કેબિનેટમાં એઆઈ મંત્રી તરીકે સામેલ કરાયા છે જ્યારે બે મહિલા શીખ સાંસદ સતવીર કૌર અને હરપ્રીત ઉપ્પલને પણ ફ્રન્ટબેન્ચમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રીલંકન તમિલ મૂળના  ઉમા કુમારનને વિદેશ મંત્રાલયમાં જુનિયર મંત્રી બનાવવામાં આવતા હવે સરકારની ફ્રન્ટબેન્ચ પર બે હિન્દુ અને બે શીખ નેતાઓ સામેલ થયા છે.

બીજી તરફ અગાઉ ઈન્ડો-પેસિફિક મંત્રી રહી ચૂકેલા સીમા મલ્હોત્રા અને જુનિયર હેલ્થ મિનિસ્ટર રહી ચૂકેલા પ્રીત કૌર ગિલ મંત્રીમંડળના ફેરબદલ બાદ સરકારમાંથી બહાર થઈને બેકબેન્ચ પર પરત ફર્યા છે. આ બંને નેતાઓ પૂર્વ વડાપ્રધાન સ્ટાર્મરના નજીકના સહયોગી માનવામાં આવતા હતા. ભારતીય મૂળના લીસા નેન્ડીએ કલ્ચર સેક્રેટરી તરીકે કેબિનેટમાં પોતાનું પદ જાળવી રાખ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter