કેર હોમની ફી ચૂકવવામાં નિષ્ફળ વૃદ્ધોની મિલકતો જપ્ત કરાય છે

Thursday 11th December 2014 10:38 EST
 

સરકારે ૨૦૧૬ સુધી સારસંભાળના ખર્ચ પર મર્યાદાનું વચન આપ્યું છે, પરંતુ તે ૭૨,૦૦૦ પાઉન્ડ અથવા તેથી વધુના બિલ પર જ લાગુ પડશે. ૨૩,૨૫૦ પાઉન્ડથી વધુ મૂલ્યની મિલકતો ધરાવનારાએ પોતે જ મકાન વેચીને ખર્ચની ચૂકવણી કરવી પડે અથવા સગાનું મૃત્યુ થાય ત્યારે મિલક્ત આપી દેવાની તૈયારી રાખવી પડે છે.
ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન વિનંતીથી મેળવેલી માહિતીના કારણે સારસંભાળની જંગી ફી ચૂકવવાની ફરજ પડે છે તેવા હજારો પરિવારોને મદદ કરવા સરકાર પર દબાણ વધી જશે. ટીકાકારોનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે પરિવારોએ વારસો ગુમાવવો પડે છે અને જે લોકોએ બચતો કરી છે અને મોર્ગેજીસ ચૂકવવા સખત મહેનત કરી છે તેઓ દંડાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter