કોરોના મહામારીથી બાળકોમાં માનસિક આરોગ્યની સમસ્યા વધી

Wednesday 14th April 2021 06:25 EDT
 
 

લંડનઃ કોવિડ મહામારીના ગાળામાં માનસિક આરોગ્યની મદદ માટે ભલામણ કરાયેલા બાળકો અને તરુણોની સંખ્યામાં વધારો થયો છે. રેફરલ્સમાં ૨૮ ટકાના વધારા સાથે આશરે ૪૦૦,૦૦૦ બાળકોએ માનસિક આરોગ્ય બાબતે મદદ માગી હતી. ગયા વર્ષે ૧૮થી ઓછી વયના ૩૭૨,૪૩૮ બાળકોને મદદ માટે રીફર કરાયાં હતાં જે, ૮૦,૨૨૬નો વધારો સૂચવે છે. આ ઉપરાંત, આ વયજૂથને વધુ ૬૦૦,૬૨૮ ટ્રીટમેન્ટ સેશન્સ અપાયાં હતાં.

રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સ દ્વારા વિશ્લેષણ કરાયેલા ડેટા અનુસાર ગયા વર્ષે ૧૮થી ઓછી વયના ૩૭૨,૪૩૮ બાળકોને માનસિક આરોગ્યમાં મદદ માટે રીફર કરાયાં હતાં જે,અગાઉના વર્ષની સરખામણીએ ૮૦,૨૨૬નો વધારો સૂચવે છે. આ ઉપરાંત, આ વયજૂથને વધુ ૬૦૦,૬૨૮ ટ્રીટમેન્ટ સેશન્સ અપાયાં હતાં જે, ૨૦ ટકાના વધારા સાથે ૩.૫૮ મિલિયનના આંકડે પહોંચ્યા હતા. ૧૮થી ઓછી વયના ૧૮,૨૬૯ બાળકોને તાકીદની કટોકટીની સારવારની જરુર પડી હતી. કોલેજે જણાવ્યું હતું કે આ વધારો મહામારીથી સર્જાયેલી અરાજકતા અને ખોરવાઈ ગયેલી મિત્રતાનું પરિણામ હતો.

નેશનલ એજ્યુકેશન યુનિયન (NEU) દ્વારા જારી અન્ય સર્વેમાં જણાવાયું હતું કે પાંચમાંથી ચાર શિક્ષકને ગત વર્ષમાં બાળકોમાં માનસિક આરોગ્યની સમસ્યાઓ વધી હોવાનું જણાવ્યું હતું. NEUના આશરે ૧૦,૭૦૦ સભ્યોના સર્વેમાં જણાયું હતું કે ૭૮ ટકા શિક્ષકોએ અગાઉના વર્ષની સરખામણીએ માનસિક આરોગ્યની સમસ્યાઓ સાથેના વિદ્યાર્થીઓ વધારો હોવાનું નિહાળ્યું હતું. ૩૪ ટકા શિક્ષકોએ આંકડો ઘણો વધ્યો હોવાનું કહ્યું હતું. આ પોલમાં ઘણા શિક્ષકોએ કહ્યું હતું કે મહામારીના કારણે ખોરવાઈ ગયેલા કાર્યને સરભર કરવાના દબાણથી માનસિક તણાવમાં વધારો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter