લંડનઃ મહાત્મા ગાંધીના તૈલચિત્રની જુલાઇ મહિનામાં બોનહામ્સ ખાતે હરાજી થશે. મહાત્મા ગાંધીનું આ એકમાત્ર તૈલચિત્ર હોવાનો દાવો કરાય છે. તેની 50,000થી 70,000 પાઉન્ડ કિંમત ઉપજે તેવી સંભાવના છે. બ્રિટિશ આર્ટિસ્ટ ક્લેર લેહટનના કલેક્શનમાં આ તૈલચિત્ર હતું. 1989માં તેમના નિધન બાદ તેમના પરિવાર પાસે આ તૈલચિત્ર રહ્યું હતું.
ક્લેર લેહટન લાકડા પર કોતરણીકામ માટે ઘણા પ્રસિદ્ધ હતા. 1931માં મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદ માટે બ્રિટન આવ્યા ત્યારે લેહટનની મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરાવાઇ હતી. તે સમયે ક્લેરનો સંબંધ પોલિટિકલ જર્નાલિસ્ટ હેન્રી નોએલ બ્રેઇલ્સફોર્ડ સાથે હતો. હેન્રી ભારતની આઝાદીના પ્રખર હિમા.યતી હતા. 1930માં ભારતના પ્રવાસમાં મહત્વના રાજકીય નેતાઓ સાથેની મુલાકાત બાદ તેમણે રેબેલ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું હતું. 1931ની મહાત્મા ગાંધીની મુલાકાત દરમિયાન ક્લેર લેહમેનને મહાત્મા ગાંધીનું ચિત્ર તૈયાર કરવાની મંજૂરી અપાઇ હતી.