ખાલિસ્તાન સંબંધિત બેનર લગાવવા નિયમોની વિરુદ્ધ નથીઃ ચેરિટી કમિશન

ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા સામેની તપાસમાં બ્રિટનના ચેરિટી કમિશનનો ચુકાદો

Tuesday 12th August 2025 11:03 EDT
 

લંડનઃ બ્રિટનના એક ગુરુદ્વારા પર લગાવવામાં આવેલા ખાલિસ્તાન સંબંધિત બેનરો પર ચાલી રહેલા વિવાદમાં બ્રિટનની ચેરિટી નિયમનકારી સંસ્થાએ તેને ક્લીનચીટ આપી છે. ચેરિટી કમિશને કહ્યું કે, ખાલિસ્તાન સંબંધિત બેનરો લગાવવાથી ચેરિટીની રાજકીય પ્રવૃત્તિ સંબંધિત નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.

બ્રિટનના ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પરની આ તપાસ થોડા વર્ષો પહેલા અનેક ફરિયાદો બાદ શરૂ કરવામાં આવી હતી. આ ફરિયાદોમાંથી એક ખાલિસ્તાન સંબંધિત બેનરો અંગેની હતી. આ મામલે ચેરિટી કમિશનના પ્રવક્તાએ ગુરુવારે (સાતમી ઓગસ્ટ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે ગુરુદ્વારામાં લગાવવામાં આવેલા બેનરોની સંપૂર્ણ સમીક્ષા કરી અને જાણવા મળ્યું કે તેમાં અમારા પ્રચાર અને રાજકીય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું નથી.'

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 'ખાલિસ્તાન' શબ્દનો અર્થ ધાર્મિક આકાંક્ષા અને રાજકીય ધ્યેય બંને હોઈ શકે છે. ગુરુદ્વારામાં લગાવેલા બેનરો કોઈ રાજ્યની માંગણી કરી રહ્યા ન હોવાથી, ચેરિટી કાયદાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter