ગ્રુમિંગ ગેંગ અંગેના સવાલો પર સત્ય બહાર આવવું જ જોઇએઃ શબાના માહમૂદ

નેશનલ ઇન્કવાયરી મુદ્દે સરકારના વલણથી વિપરિત જસ્ટિસ સેક્રેટરીના સૂર

Tuesday 20th May 2025 11:44 EDT
 
 

લંડનઃ જસ્ટિસ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું છે કે ગ્રુમિંગ ગેંગ સ્કેન્ડલ અંગે લાંબા સમયથી સવાલો પડતર છે અને સત્ય બહાર આવવું જ જોઇએ. માહમૂદનું આ વલણ તેમની સરકારના વલણથી તદ્દન વિપરિત છે. તેમની સરકાર ગ્રુમિંગ ગેંગ સ્કેન્ડલની નેશનલ ઇન્કવાયરી કરાવવા ઇનકાર કરી રહી છે.

50થી વધુ ટાઉન અને શહેરોમાં ગ્રુમિંગ ગેંગ દ્વારા સગીરાઓને નિશાન બનાવવામાં આવ્યાના રિપોર્ટ છતાં હોમ સેક્રેટરી કૂપરે નેશનલ ઇન્કવાયરીની માગ નકારી કાઢી છે. શબાના માહમૂદે તેમનાથી અલગ વલણ અખત્યાર કરતાં જણાવ્યું છે કે મોટી સંખ્યામાં અપરાધીઓ સામે કેસ ચલાવી જેલમાં ધકેલી દેવાયાં છે. એકરીતે કહી શકાય કે કાયદો તેનું કામ કરી રહ્યો છે. પરંતુ આ સ્કેન્ડલનો વ્યાપ ગંભીર સવાલો ઊભા કરે છે. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ દ્વારા જવાબદારી સાથે કામગીરી તો થઇ રહી છે પરંતુ તેનાથી તમામ પીડિતાઓને ન્યાય મળી રહ્યો નથી.

માહમૂદે જણાવ્યું હતું કે, આ અત્યંત પીડાદાયક છે અને જનતાનો વિશ્વાસભંગ થઇ ચૂક્યો છે. આપણે સ્થાનિક સ્તરે સારી કામગીરી કરવી જોઇએ. જેથી જનતાનો વિશ્વાસ કેળવી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter