ટ્રેન અને બસનો ઉપયોગ ટાળવાની સલાહ ન આપો

Friday 17th July 2020 08:52 EDT
 

લંડનઃ ટ્રાન્સપોર્ટના વડાઓએ લોકોને ટ્રેન અને બસનો ઉપયોગ ન કરવાની સલાહ આપવાનું બંધ કરવા સરકારને અનુરોધ કર્યો હતો. ટ્રાન્સપોર્ટ જાયન્ટ ફર્સ્ટ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ મેથ્યુ ગ્રેગરીએ જણાવ્યું હતું કે આ સમય પ્રવાસીઓેને બીનજરૂરી મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળવાનું કહેવાનો નથી. આ બંધ કરવું જોઈએ.

છેલ્લાં થોડાં અઠવાડિયામાં કોરોના વાઈરસના લોકડાઉનના નિયંત્રણો હળવા થયા હોવા છતાં ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ દ્વારા લોકોને મહામારી દરમિયાન શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ ટાળવાનું સતત કહેવામાં આવે છે. તાજા આંકડા મુજબ લોકડાઉન પહેલા જે રોડ ટ્રાન્સપોર્ટ હતો તેનો અત્યારે ૮૩ ટકા સુધી થયો છે. પરંતુ, સમગ્ર બ્રિટનમાં ટ્રેનનો ઉપયોગ અને લંડન બહાર બસનો ઉપયોગ અનુક્રમે ૧૬ ટકા અને ૨૯ ટકા છે.

પેસેન્જર વોચડોગ ટ્રાન્સપોર્ટ ફોકસે સરકારની ટ્રાન્સપોર્ટેશનની વ્યૂહનીતિની સમીક્ષા કરવા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સને લેખિત વિનંતી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter