લંડનઃ આઇજીએફ લંડન દ્વારા ક્વીન એલિઝાબેથ દ્વિતીય સેન્ટર ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ડો. શાલિની મુલ્લિકને આઇજીએફ આર્ચર અમિષ એવોર્ડના વિજેતા જાહેર કરાયા હતા. તેમના પુસ્તક ધ વે હોમને આ પુરસ્કાર માટે પસંદ કરાયું હતું. આ નવલકથામાં ગોવામાં આશ્રય લેનાર 3 યુવાનની વાત કરવામાં આવી છે. તેઓ પોતાની ખામીઓ દૂર કરી મિત્રતા મજબૂત કરવા ગોવા પહોંચે છે.
પુરસ્કાર એનાયત કરતાં કલ્ચર સેક્રેટરી લિસા નેન્ડીએ પુરસ્કારના વ્યાપક સાંસ્કૃતિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જનસંપર્ક આપણા માટે અત્યંત મહત્વનો છે. વૈશ્વિક મંચ પર આપણી જાતને વિભાજિત કરવાના ઘણા રસ્તા છે. વિશ્વ ભંગિત બની રહ્યું છે અને ધ્રુવીકરણ ચરમ પર છે. આ અવરોધો દૂર કરવામાં સરકારોએ નેતૃત્વ લેવું જોઇએ. વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના માટે પ્રતિબદ્ધ છે.
ડો. મુલ્લિકને આ પુરસ્કાર પેટે 25,000 ડોલરનું ઇનામ અપાયું હતું. આઇજીએફ આર્ચર અમિષ એવોર્ડ સાહિત્યકારો માટેનો એના પ્રકારનો પ્રથમ પુરસ્કાર છે જે જટિલતા, વૈવિધઅયતા અને આધુનિક ભારતને પ્રતિબિંબત કરતા ભારતીય લખાણોનું સન્માન કરે છે. આ પુરસ્કારનો પ્રારંભ જેફરી આર્ચર અને અમિશ ત્રિપાઠી દ્વારા કરાયો છે.