ઇંગ્લેન્ડમાં આવેલી પોણા ભાગની કાઉન્સિલો દ્વારા તેમના વિસ્તારમાં રહેતા અસક્ષમ વૃધ્ધોને માત્ર ૧૫ મિનિટની સારસંભાળ માટે કેરર ફાળવવામાં આવે છે. આટલા સમયમાં વડિલોએ જમવાનું પસંદ કરવું પડે અથવા તો ટોયલેટ જવાનું. જે વૃધ્ધો ઘરે સારસંભાળ લઇ રહ્યા છે તેઅો જાણે કે રીતેસરના નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. ફ્રિડમ અોફ ઇન્ફોર્મેશન સર્વેમાં આ વાત બહાર આવી હતી.