નવા સેટલમેન્ટ નિયમોથી અમીર માઇગ્રન્ટ્સ બ્રિટન છોડવા મજબૂર બની શકે

1,25,000 પાઉન્ડથી વધુ આવક ધરાવતા ઇમિગ્રન્ટ્સને બ્રિટનમાં વસવાટનો મોહ હોતો નથી

Tuesday 26th May 2026 11:12 EDT
 

લંડનઃ બ્રિટનમાં કાયમી સેટલમેન્ટ માટેના નિયમોને વધુ કડક બનાવવાની સરકારી યોજનાના કારણે દેશના સૌથી વધુ કમાણી કરતા ઇમિગ્રન્ટ્સ બ્રિટન છોડીને ચાલ્યા જાય તેવું જોખમ તોળાઈ રહ્યું છે. એક નવા વિશ્લેષણ અનુસાર ઊંચી આવક ધરાવતા લોકોમાં અત્યારે પણ બ્રિટનમાં કાયમી વસવાટનું પ્રમાણ સૌથી ઓછું છે અને જો નિયમો વધુ કડક કરવામાં આવશે તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

માઇગ્રેશન એડવાઇઝરી કમિટી દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં વર્ષ 2014 થી 2024 વચ્ચેની આશરે 900,000 માઇગ્રન્ટ મુસાફરીઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. કમિટીએ નોંધ્યું છે કે સૌથી ઓછું વેતન મેળવતા ઇમિગ્રન્ટ્સ યુકેમાં લાંબા સમય સુધી રોકાય તેવી શક્યતા વધુ હોય છે. તેની સામે, 125,000 પાઉન્ડથી વધુની વાર્ષિક આવક ધરાવતો વર્ગ બ્રિટન છોડીને જવામાં મોખરે છે. ઊંચી કમાણી કરતા વ્યાવસાયિકો પાસે વૈશ્વિક સ્તરે ઉજ્જવળ તકો ઉપલબ્ધ હોય છે અને અન્ય દેશોમાં સ્થળાંતર કરવા માટે તેમની સામે આર્થિક અવરોધો પણ ઓછા હોય છે.

જોકે, MAC એ ચેતવણી આપી છે કે આ પ્રકારની દ્વિ-સ્તરીય (two-tier) વ્યવસ્થા પણ ઊંચી કમાણી કરનારાઓને યુકેમાં લાંબાગાળાનું આયોજન કરતા અટકાવી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વ્યાવસાયિકો અને ઊંચી આવક ધરાવતા જૂથો, જેઓ હાલની નીતિ હેઠળ પણ ઓછા પ્રમાણમાં રોકાય છે, તેઓ આ નવી અને ઓછી આકર્ષક નીતિથી વધુ પ્રભાવિત થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter