નવી ઈમિગ્રેશન સિસ્ટમમાં ઈયુ અને નોન-ઈયુ નાગરિકોના માઈગ્રેશન માટે સરખા નિયમો

Saturday 07th November 2020 01:52 EST
 
 

લંડનઃ યુકેની નવી ઈમિગ્રેશન સિસ્ટમને લીધે ઈયુના વર્કરોની નિમણુંક અગાઉ કરતાં વધુ કપરી બની શકે અને કેટલાંક સેક્ટરમાં ભરતીની મુશ્કેલી પડશે. ઘણાં દાયકા બાદ પ્રથમ વખત જાન્યુઆરી, ૨૦૨૧થી અમલમાં આવનારી આ નવી સિસ્ટમમાં સરકાર ઈયુ અને નોન-ઈયુ નાગરિકો બન્ને માટે માઈગ્રેશન માટે એકસરખા નિયમો લાગૂ કરશે. ઈન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક પોલીસી રિસર્ચ (IPPR) નવા નિયંત્રણો હેઠળ કેટલાંક સેક્ટરોને વિદેશી વર્કરોની નિમણુંકમાં મુશ્કેલી પડશે.

થીંક ટેન્કના છેલ્લાં અભ્યાસ બિલ્ડીંગ પોસ્ટ બ્રેક્ઝિટ ઈમિગ્રેશન સિસ્ટમમાં જણાયું કે આ નિયમો લાગૂ થશે તો યુકેમાં વસતા ૬૬ ટકા કર્મચારીઓ સ્કીલ વર્કર રૂટ માટે લાયક ઠરશે નહીં.

અભ્યાસના તારણમાં જણાયું કે આ નવી સિસ્ટમમાં ફૂડ અને ડ્રિંક મેન્યુફેક્ચરિંગ, સોશિયલ કેર અને હોસ્પિટાલિટી સેક્ટરને વિદેશથી વર્કરોની નિમણુંક કરવામાં મુશ્કેલી પડશે.

મહામારીની મંદીને લીધે બિઝનેસીસ ભરતીમાં યુકેના બેરોજગાર વર્કરોની પ્રાધાન્ય આપશે. સ્કીલની અછતની સમસ્યા દૂર કરવામાં વર્કરોને ફરી તાલિમ આપવામાં પણ ઘણો સમય જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter