નિતાશા કૌલનું ઓસીઆઇ કાર્ડ ભારત સરકારે રદ કર્યું

Tuesday 20th May 2025 11:33 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના લંડન સ્થિત પ્રોફેસર નિતાશા કૌલનું ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડ ભારત સરકારે રદ કરી નાખ્યું છે. પ્રોફેસર નિતાશા કૌલ કાશ્મીરી પંડિત અને બ્રિટિશ નાગરિક છે.

કૌલને પાઠવેલી નોટિસમાં ભારત સરકારે જણાવ્યું છે કે ભારત સરકારના ધ્યાને આવ્યું છે કે તમે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ જણાયા છો. તમે વાસ્તવિકતા અને ઇતિહાસની સદંતર અવગણના કરી દુર્ભાવનાથી પ્રેરિત છો. વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો અને સોશિયલ મીડિયા પર તમારા લખાણો, ભાષણો અને પત્રકાર તરીકેની પ્રવૃત્તિઓમાં તમે નિયમિત રીતે ભારત અને તેના સંસ્થાનોને લક્ષ્યાંક બનાવી રહ્યાં છો.

કૌલે સોશિયલ મીડિયા પર ઓસીઆઇ કેન્સલેશન નોટિસનો હિસ્સો જારી કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારની લઘુમતી અને લોકશાહી વિરોધી કામગીરી પરના મારા લખાણો માટે મને કરાયેલી સજા ક્રુર નમૂનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter