જોકે, જેઓ નિવૃત્ત થઈ ગયા છે અને પેન્શન મેળવી રહ્યાં છે તેઓ મૃત્યુ પામે ત્યાં સુધી પેન્શનનો અધિકાર ધરાવતા હોવાથી આશરે પાંચ મિલિયન વર્તમાન પેન્શનરોને આ સુધારાનો લાભ મળે તેમ નથી. જોકે, પેન્શન્સ મિનિસ્ટર આ સ્થિતિ બદલવા માગે છે. વર્તમાન પેન્શનરો પણ એન્યુઈટીઝ નામે ઓળખાતી આજીવન વાર્ષિક આવકને નિવૃત્તિ પછી કોઈ પણ સમયે વેચી શકે તેવી વ્યવસ્થા લાવવા માગે છે.