નૌકાદળના યુદ્ધજહાજોના નિર્માણ માટે ભારત અને યુકે વચ્ચે કરાર

Tuesday 03rd December 2024 10:16 EST
 
 

લંડનઃ ભારતીય નેવી માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ્સની ડિઝાઇન અને વિકાસ માટે ભારત અને યુકે વચ્ચે સહકારનો કરાર કરાયો છે. 28 નવેમ્બરના રોજ યુકેના પોર્ટ્સમાઉથ ખાતે આ કરાર કરાયો હતો. અત્યાધુનિક ટેકનોલોજીના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે બંને દેશના જોઇન્ટ વર્કિંગ ગ્રુપની મિટિંગમાં આ કરાર કરાયો હતો.

કરાર અંતર્ગત બંને દેશ નૌકાદળ માટેના યુદ્ધજહાજો માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન ક્ષમતાના ઉત્પાદન માટે સાથે મળીને ડિઝાઇન તૈયાર કરશે. આ માટે જહાજના લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ ભારતના જહાજવાડાઓમાં તૈયાર કરાશે.ભારતના રાજીવ પ્રકાશ અને યુકેના રીયર એડમિરલ સ્ટીવ મેકકાર્થીએ કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter