પગાર વધારો નહીં અપાય તો હડતાળ પર જવા એનએચએસ નર્સોની ધમકી

આ પહેલાં શિક્ષકો, ડોક્ટરો, એનએચએસના અન્ય કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને યુનિવર્સિટીઓના કર્મચારીઓ પણ પગાર વધારા મુદ્દે હડતાળની ધમકી આપી ચૂક્યાં છે

Tuesday 13th May 2025 11:22 EDT
 
 

લંડનઃ નર્સિંગ યુનિયનના નેતાએ ધમકી ઉચ્ચારી છે કે જો નર્સોને યોગ્ય પગારવધારો આપવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર જઇ શકે છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગના ચીફ એક્ઝિક્યુટિવ નિકોલા રેન્જરે જણાવ્યું હતું કે, સરકાર સામા પવને હોડી ન હંકારે. હું સરકારને જણાવવી છું કે જો તમે નર્સિંગ વ્યવસાયનું અપમાન જારી રાખશો તો આ ઉનાળામાં સ્થિતિ ગંભીર બની શકે છે.

સરકારે પબ્લિક સેક્ટરમાં પગાર વધારાની મર્યાદા 2.8 ટકા રાખી છે. નર્સોને 3 ટકા વધારો આપવાની રિવ્યુ કમિટી દ્વારા ભલામણ કરાઇ છે પરંતુ ચાન્સેલરે જણાવ્યું છે કે સેવાઓમાં કાપ મૂકીને જ આટલો વધારો આપી શકાશે.

આ પહેલાં શિક્ષકો, ડોક્ટરો, એનએચએસના અન્ય કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને યુનિવર્સિટીઓના કર્મચારીઓ પણ પગાર વધારા મુદ્દે હડતાળની ધમકી આપી ચૂક્યાં છે. આરસીએન હાલ સરકારના પ્રસ્તાવ પર નર્સોનું મંતવ્ય લઇ રહી છે જેમાં હડતાળના વિકલ્પનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter