પાકિસ્તાનના ભારત પરના આરોપ પાયાવિહોણાઃ ડો. અમજદ અયુબ મિરઝા

Tuesday 10th June 2025 11:34 EDT
 
 

લંડનઃ યુકે સ્થિત પીઓકે મૂળના માનવ અધિકાર એક્ટિવિસ્ટ ડો. અમજદ અયુબ મિરઝાએ પાકિસ્તાનની સરકાર દ્વારા ભારત પર મૂકાઇ રહેલા આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના આરોપ લાંબાસમયથી આતંકવાદ સાથે સંકળાયેલા દેશની માનસિકતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરિફ અને સેનાધ્યક્ષ ફિલ્ડ માર્શલ અસિમ મુનિર દ્વારા ભારત પર આરોપ મૂકાયા હતા કે તે બલોચિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહિત કરી રહ્યો છે. મિરઝાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના લાંબા ઇતિહાસથી ધ્યાન અન્યત્ર દોરવા માટે આ પ્રકારનું ગાણું ગાવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter