લંડનઃ પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારત દ્વારા પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં કાર્યરત આતંકી કેમ્પો પર કરાયેલા હુમલાને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે ઉચિત ગણાવ્યો છે. ઓપરેશન સિંદુર પર ટિપ્પણી કરતાં સુનાકે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકી કેમ્પો પર ભારતનો હુમલો યોગ્ય છે. કોઇ દેશ આતંકવાદને સ્વીકારી શક્તો નથી.
સુનાકે જણાવ્યું હતું કે, અન્ય દેશની ધરતી પરથી કરાતા આતંકવાદી હુમલાઓને કોઇ દેશે સ્વીકારવા જોઇએ નહીં. આતંકવાદી માળખા પરનો ભારતનો હુમલો ઉચિત છે. આતંકવાદીઓ પ્રત્યે કોઇ દયા દાખવવી જોઇએ નહીં.