પોસ્ટ ઓફિસ કેપ્ચર કૌભાંડના પીડિતોનો આક્રોશ: નુકસાનના માંડ 10 ટકા વળતરની ઓફર

વળતર પેટે ચૂકવાતી રકમ વાસ્તવિક નુકસાન સામે નજીવી હોવાનો આરોપ

Tuesday 01st September 2026 11:28 EDT
 

લંડનઃ બહુચર્ચિત પોસ્ટ ઓફિસ કેપ્ચર કૌભાંડના પીડિતો અને તેમના પરિવારોએ સરકાર દ્વારા આપવામાં આવી રહેલા અપૂરતા નાણાકીય વળતર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. પૂર્વ સબપોસ્ટમાસ્ટરોનો આક્ષેપ છે કે તેમને થયેલા નાણાકીય નુકસાનના બદલામાં માત્ર 10 ટકા જેટલી નજીવી રકમ ઓફર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેમના પર લાગેલા ખોટા આરોપ અંતર્ગત અપાયેલા ચુકાદા રદ કરાવવા માટે પણ તેમને હજુ સુધી સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

વર્ષ 1992માં દાખલ કરવામાં આવેલું કેપ્ચર એક ડિજિટલ એકાઉન્ટિંગ સોફ્ટવેર હતું. આ સિસ્ટમમાં રહેલી ટેકનિકલ ખામીઓના કારણે હિસાબમાં ગરબડ સર્જાઈ હતી, જેના માટે પોસ્ટ ઓફિસે સબ-પોસ્ટમાસ્ટરોને જવાબદાર ઠેરવી ચોરી અને ગેરરીતિના ખોટા કેસ કર્યા હતા.

સરકારે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે કેપ્ચર સિસ્ટમ ખામીયુક્ત હતી અને તેના માટે વળતર યોજના શરૂ કરી છે. જુલાઈ સુધીમાં આ યોજના હેઠળ 279થી વધુ અરજીઓ મળી છે અને વ્યાપાર, ઈનોવેશન, સાયન્સ અને ટ્રેડ વિભાગ દ્વારા 8.5 મિલિયન પાઉન્ડથી વધુ વળતર પેટે ચુકવાયા છે. પરંતુ પીડિતોના મતે આ રકમ તેમના વાસ્તવિક નુકસાન સામે ખૂબ જ ઓછી છે.

દક્ષિણ વેલ્સના પૂર્વ સબપોસ્ટમાસ્ટર લી બોવરમેને જણાવ્યું હતું કે, તેમને થયેલા નુકસાનના માંડ 10 ટકા રકમ ઓફર કરાઈ છે. પીડિતો હવે વડાપ્રધાન એન્ડી બર્નહામ પાસે ઝડપી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter