એક હોસ્પિટલના સંશોધનના તારણો કહે છે છે કે શ્વસનતંત્રની બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ થનારા પેશન્ટ્સમાંથી અડધા જેટલા વાયરસના તીવ્ર પ્રકારથી પીડાય છે. ફ્લુ વેક્સિન તૈયાર કરાયું તે પછી ઈન્ફ્લુએન્ઝા A H3 વાયરસમાં વિકૃતિ-ફેરફારો આવતા રસીની અસર ઘટી છે. નિષ્ણાતો કહે છે કે આરોગ્ય સમસ્યા ધરાવતા પેન્શનર્સ અને સગર્ભા સ્ત્રીઓએ થોડાં રક્ષણ માટે પણ વેક્સિન લેવું જરૂરી છે. ફ્લુ વેક્સિનેશન આંકડા અનુસાર ૬૫ વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં ૭૦ ટકાએ રસી લીધી છે, પરંતુ સગર્ભા સ્ત્રીઓમાં માત્ર ૪૩ ટકાએ આવી રસી લીધી હતી.