લંડનઃ બેદરકારીપુર્વક વાહન ચલાવી એક દંપતીનું મોત નિપજાવનાર લિસેસ્ટરશાયરના 35 વર્ષીય સિમરજીત સિંહને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી છે. અદાલતે સિમરજીત પર ચાર વર્ષ સુધી વાહન નહીં ચલાવવાનો પ્રતિબંધ પણ લાદ્યો છે. સિમરજીત સિંહ અત્યંત ખરાબ ડ્રાઇવિંગ કરતો હતો અને તેણે ક્યારેય ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી નહોતી. બેદરકારીપુર્વક ડ્રાઇવિંગ કરતાં તેણે સામેથી આવતી કારને ટક્કર મારી હતી જેમાં ગેઇલ અને ઇયાન ગેલેનાં મોત થયાં હતાં.


