બેસ્ટવેના સ્થાપક સર અનવર પરવેઝના 90મા જન્મદિવસની ઉજવણી

વર્તમાન અને પૂર્વ સાંસદોએ બ્રિટિશ સમાજમાં સર અનવરના યોગદાનને બિરદાવ્યું

Tuesday 24th June 2025 11:00 EDT
 
 

લંડનઃ સર અનવર પરવેઝ (ઓબીઇ)ના 90મા જન્મદિવસની ઉજવણી માટે 19 જૂનના રોજ વર્તમાન અને પૂર્વ સાંસદો એકઠાં થયાં હતાં. પૂર્વ મંત્રીઓ ટોમ તુગેન્ધાત અને લોર્ડ મૌડે બ્રિટિશ સમાજમાં સર અનવરના યોગદાન માટે આભાર માન્યો હતો. પૂર્વ લોર્ડ ચાન્સેલર સર બ્રાન્ડન લૂઇસે ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ કેવી રીતે સર અનવર અને બેસ્ટવેઝે તેમના પરિવારા નાનકડા બિઝનેસની વૃદ્ધિ માટે મદદ કરી હતી તેનું વર્ણન કર્યું હતું. લોર્ડ મૌડે અને સર બ્રાન્ડને સર અનવર દ્વારા આયોજિત તેમની પાકિસ્તાન મુલાકાતોના અનુભવો પણ વર્ણવ્યા હતા.

યુકે સ્થિત પાકિસ્તાની હાઇ કમિશ્નર ડો. મોહમ્મદ ફૈસલ અને બર્નલી મિનિસ્ટર ઓફ ફેઇથના લોર્ડ ખાને યુકે અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સર અનવરના યોગદાનને બિરદાવ્યું હતું.

સમારોહના આયોજક લોર્ડ ચૌધરી (સીબીઇ)એ સર અનવર 1956માં 21 વર્ષની વયે પાકિસ્તાનના એક ગામમાંથી યુકે આવીને વસ્યા ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીની તેમની જીવનગાથા રજૂ કરી હતી. બ્રાડફોર્ડમાં વિવિધ નોકરીઓ બાદ સર અનવર 1963માં લંડન આવ્યા હતા અને તેમનો પહેલો રિટેલ સ્ટોર શરૂ કર્યો હતો. 1976માં તેમણે બેસ્ટવેની સ્થાપના કરી હતી.

આજે સર અનવરની વિઝનરી લીડરશિપના કારણે બેસ્ટવે એક અગ્રણી ગ્રુપ બન્યું છે જે સમગ્ર વિશ્વમાં 47000 કરતાં વધુ લોકોને રોજગાર આપે છે. સામાજિક જવાબદારીઓ સ્વીકારતાં તેમણે બેસ્ટવે ફાઉન્ડેશનની પણ રચના કરી હતી. તેના માધ્યમથી તેમણે 44 મિલિયન પાઉન્ડના સખાવતી કાર્યો કર્યાં છે. 2025 મહત્વનું વર્ષ છે કારણ કે સર અનવર 90મો જન્મદિવસ તો બેસ્ટવે તેની ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter