લંડનઃ આયુર્વેદ સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એપીપીજી ઇન્ડિયન ટ્રેડિશનલ સાયન્સિઝના સહકારમાં 17 જૂન 2025ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. સાંસદ બોબ બ્લેકમેન દ્વારા આયોજિત આ ઉજવણીમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. હાજર ગણમાન્ય વ્યક્તિઓને યુકેમાં એનએચએસમાં સુધારા કરવા ઇન્ટિગ્રેટિવ હેલ્થકેર પર વ્હાઇટ પેપર તૈયાર કરવા પ્રસ્તાવ અપાયો હતો.
આ પ્રસંગે નોર્થવૂડના લોર્ડ રેમી રેન્જર, સાંસદ ગુરિન્દર જોશાન, લ્યૂટનના લોર્ડ હુસેન, સાંસદ બોબ બ્લેકમેન સીબીઇ, સાંસદ જ્હોન મેકડોનેલ, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, ભારત સરકારના આયુષ મંત્રાલયના પ્રોફેસર ડો. તનુજા નેસારી, બ્રાઝિલના સ્વામી ડો. જોસ રેગ , એનએચએસના જીપી ડો. ડિમ્પલ દેવદાસ, પોર્ટુગલના ડો. જોકીમ જોસ, યુકેના પ્રો. ડો. યશ ગુપ્તા, ભારતના ડો. રવિશંકર પોલિસેટ્ટી, યુકેના ડો. વિવેક કૌલ અને ભારતના જાણીતા અભિનેતા સ્વ. વિનોદ ખન્નાના પત્ની કવિતા ખન્ના ઉપસ્થિત રહ્યાં હતાં.
તે ઉપરાંત હાજર રહેલા મહાનુભાવોમાં ડો. રિશી હાન્ડા યુકે, રોબિન માર્શ યુકે, સ્વામી આત્મપ્રકાશનંદા સરસ્વતી યુકે, ટોમસ ફાઇઇર ઝેક રિપબ્લિક, મનદીપ સિંહ ગુરુદ્વારા એઇડ યુકે, ડો ભાવના પંડ્યા એનએચએસ, સુખવિન્દરસિંહ ગિલ સંત નિરંકારી મિશન યુકે અને તૃપ્તિ પટેલ હિન્દુ ફોરમ બ્રિટનનો સમાવેશ થતો હતો. તે ઉપરાંત દેશ વિદેશમાંથી ઘણા અગ્રણીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સામેલ થયાં હતાં.
આ પ્રસંગે ડો. પવન કુમાર શર્મા, રંજુલા મધાની એમબીઇને એમ્બેસેડર ફોર આયુર્વેદ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. પોર્ટુગલના ડો. જોકીમ જોસ દ કોસ્ટા જોર્જને આયુર્વેદ રત્ન પુરસ્કાર એનાયત કરાયો હતો. બોબ બ્લેકમેને માન્ચેસ્ટર યુનિવર્સિટી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે સેવા આપતા ડો. રાજિન્દર પાલ સિંહના પુસ્તક જર્ની એક્રોસ બાઉન્ડ્રીઝનું વિમોચન કર્યું હતું.