ભારતને મોટો ફટકોઃ શસ્ત્ર વચેટિયાના પ્રત્યર્પણને લંડન હાઇકોર્ટે નકાર્યું

સંજય ભંડારી પર રૂપિયા 665 કરોડની વિદેશી આવક અને સંપત્તિ પર ભારતમાં કર નહીં ચૂકવવા અને મની લોન્ડરિંગના આરોપ

Tuesday 04th March 2025 09:38 EST
 
 

લંડનઃ શસ્ત્ર વચેટિયા સંજય ભંડારીને ભારતને સોંપવાનો યુકેની અદાલતે ઇનકાર કરી દીધો છે. ભારતની તિહાર જેલમાં પોતે સુરક્ષિત નથી, મારા પર ખંડણી, હિંસા અને અત્યાચારનું જોખમ રહેલું છે અને ભારતમાં મારી ન્યાયી સુનાવણી થશે નહીં તેવી સંજય ભંડારીની દલીલોને બ્રિટનની અદાલતે સ્વીકારી લીધી છે. આમ સંજય ભંડારીને ભારત પરત લઇ આવવાના નવી દિલ્હીના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.

આ પહેલાં 7 નવેમ્બર 2022ના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે 6 દલીલના અધારે સંજય ભંડારીના ભારત ખાતેના પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. જેને ભંડારી દ્વારા હાઇકોર્ટમાં પડકાર અપાયો હતો. તેમની અરજીની સુનાવણી ડિસેમ્બર 2024માં પૂરી થઇ હતી. લોર્ડ જસ્ટિસ હોલરોયડ અને મિસિસ જસ્ટિસસ્ટેઇને તેમના ચુકાદામં જણાવ્યું હતું કે, સંજય ભંડારીના પ્રત્યર્પણને કારણે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સના આર્ટિકલ 3 અને 6નું ઉલ્લંઘન થશે તેથી ભંડારીનું પ્રત્યર્પણ ગેરકાયદેસર ગણાશે. અદાલતે સંજય ભંડારીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

હવે ભારત સરકાર પાસે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના ચુકાદાને પડકારવા 14 દિવસનો સમય છે. આ માટે તેણે પહેલાં તો હાઇકોર્ટની મંજૂરી લેવી પડશે. જોકે આ પ્રકારની મંજૂરી મળવાની બહુ ઓછી સંભાવના છે.

ભારત સરકારનો આરોપ છે કે સંજય ભંડારીએ રૂપિયા 665 કરોડની વિદેશી સંપત્તિ અને વિદેશી આવક પર કર ચૂકવ્યો નથી. તેમના પર મની લોન્ડરિંગના આરોપ પણ ભારત સરકાર દ્વારા મૂકાયા છે. સંજય ભંડારી 19 વિદેશી બેન્ક ખાતા ધરાવે છે. તેઓ લંડન અને દુબઇમાં 6 કંપની અને 4 પ્રોપર્ટી પણ ધરાવે છે.

લંડન હાઇકોર્ટે ભારત સરકાર દ્વારા અપાયેલા આશ્વાસનને નકારી કાઢ્યું હતું. ભારત સરકારે જણાવ્યું હતું કે, સંજય ભંડારીની તિહાર જેલમાં ફક્ત પૂછપરછ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter