ભારતમાં રાજસ્થાન સરકાર દ્વારા ડાયસ્પોરા વિભાગની રચના

વિદેશોમાં વસતા રાજસ્થાનીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા અલગ પ્લેટફોર્મ કામ કરશે

Tuesday 25th November 2025 08:30 EST
 

લંડનઃ ડાયસ્પોરા સાથેના સંબંધો મજબૂત બનાવવા ભારતના રાજસ્થાનની રાજ્ય સરકારે એનઆરઆર (નોન રેસિડેન્ટ રાજસ્થાની) માટે એક અલગ ડાયસ્પોરા વિભાગની રચના કરી છે. આ વિભાગ દ્વારા રાજસ્થાનમાં મૂડીરોકાણ વધશે અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ થશે તેવી રાજ્ય સરકારને આશા છે. રાજસ્થાન સરકારે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ વિદેશોમાં વસતા રાજસ્થાનીઓને ભારતમાં નડતી સમસ્યાઓના ઉકેલ માટે કામ કરશે.

રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, આ વિભાગ દ્વારા ગ્લોબલ સ્ટેજ પર બ્રાન્ડ રાજસ્થાનને પ્રમોટ કરાશે. તેના દ્વારા પ્રવાસી રાજસ્થાની દિવસ, સન્માન સમારંભોનું આયોજન કરાશે અને ડાયસ્પોરા એસોસિએશનની નોંધણી માટે પોર્ટલનું સંચાલન થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter