લંડનઃ નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના અગ્રણી હાર્ટ સર્જન એવા ભારતીય મૂળના ડોક્ટર જીતેન્દ્ર રાઠોડનું કોરોના વાઇરસથી મૃત્યુ થયું છે. બે સંતાનોના પિતા એવા ૫૮ વર્ષીય જીતેન્દ્ર રાઠોડની કોરોના સંક્રમણની સારવાર વેલ્સના કાર્ડિફની યુનિવર્સિટી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ૩ એપ્રિલ, સોમવારે સવારે તેમનું અવસાન થયું હતું. તેઓ પોતાના સાથીવર્ગમાં જીતુ તરીકે ઓળખાતા હતા અને સહુ કોઇને હંમેશાં મદદ કરવા તત્પર રહેતા હતા. તેઓ ૧૯૯૦ના ગાળામાં આ યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સાથી તબીબોએ તેમને બચાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્ન કર્યા હતા.
નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના અગ્રણી હાર્ટ સર્જન એવા ભારતીય મૂળના ડોક્ટર જીતેન્દ્ર રાઠોડનું કોરોના વાઇરસથી મૃત્યુ થયું છે. બે સંતાનોના પિતા એવા ૫૮ વર્ષીય જીતેન્દ્ર રાઠોડની કોરોના સંક્રમણની સારવાર વેલ્સના કાર્ડિફની યુનિવર્સિટી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ૩ એપ્રિલ, સોમવારે સવારે તેમનું અવસાન થયું હતું. તેઓ પોતાના સાથીવર્ગમાં જીતુ તરીકે ઓળખાતા હતા અને સહુ કોઇને હંમેશાં મદદ કરવા તત્પર રહેતા હતા. તેમણે ૧૯૯૦ના ગાળામાં આ યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સાથી તબીબોએ તેમને બચાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્ન કર્યા હતા.
જોકે સોમવારે સત્તાવાર રીતે તેમને અવસાન પામેલા જાહેર કરાયા હતા.આ અંગે કાર્ડિફ એન્ડ વેલે યુનિવર્સિટી હેલ્થ બોર્ડ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે અત્યંત ખેદ સાથે જણાવવું પડે છે કે કાર્ડિયોથોરાસીસ સર્જરીના એસોસિએટ સ્પેશ્યાલિસ્ટ જીતેન્દ્ર રાઠોડનું અવસાન થયું છે. તેમનો કોવિડ-૧૯નો પોઝિટિવ ટેસ્ટ આવ્યા પછી હોસ્પિટલના જનરલ ઇન્ટેન્સીવકેર યુનિટમાં સવારે તેમનું અવસાન થયું હતું. બે સંતાનોના પિતા એવા જીતેન્દ્રભાઈ ઉત્સાહી અને પ્રતિબદ્ધ સર્જન તરીકે ખ્યાતિ ધરાવતા હતા. જેઓ પોતાના દર્દીઓની ખૂબ સંભાળ રાખતા હતા. વેલ્સના તબીબી જગતમાં તેઓ હૃદય, ફેફસા, તથા અધર થોરાસિસ (છાતી)ના અવયવોની સારવાર કરનારા સ્પેશ્યાલિસ્ટ સર્જન તરીકે ખ્યાતનામ હતા. તેઓ અત્યંત પ્રેમાળ સ્વભાવવાળા હતા. તેઓ પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને વિલાપ કરતાં મુકી ગયા છે. તેઓ ૧૯૯૦ના મધ્યગાળાથી ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયો-થોરાસિસ સર્જરી સાથે સંકળાયેલા હતા. વર્ષ ૨૦૦૬માં યુએચડબલ્યૂ સાથે ફરીથી જોડાતા પહેલા તેમણે થોડાક સમય માટે વિદેશમાં પણ ફરજ બજાવી હતી.