મધ્યપ્રદેશના વેપારીની લોન પરત ચૂકવવાની માગની બ્રિટિશ સરકાર ચકાસણી કરશે

શેઠ રુથિયાએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારને રૂપિયા 35,000ની લોન આપી હતી

Tuesday 11th August 2026 11:09 EDT
 
 

લંડનઃ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મધ્યપ્રદેશના વેપારી શેઠ જુમ્માલાલ રુથિયાએ બ્રિટિશ સરકારને રૂપિયા 35 હજારની લોન આપ્યાની એક સદી કરતા વધુ સમય બાદ તેમના પૌત્રો વિનય અને વિવેક રુથિયાએ જણાવ્યું છે કે બ્રિટનની સરકાર લોન પરત કરવાની તેમની વિનંતીની ચકાસણી કરવા સહમત થઇ છે. પરિવારનો દાવો છે કે લોનનું મૂલ્ય હવે કરોડો રૂપિયા થઇ શકે છે.

રુથિયા ભાઇઓએ જણાવ્યું છે કે તેમણે વકીલ મારફતે યુકે ડેબ્ટ મેનેજમેન્ટ ઓફિસને તેમના દાદા દ્વારા જાળવી રખાયેલા દસ્તાવેજોના આધારે ફેબ્રુઆરીમાં કાનૂની નોટિસ મોકલી હતી. ડીએમઓએ ચૂકવણીના દાવાને સમર્થન આપ્યું નથી પરંતુ પરિવારને સર્ટિફિકેટ, પત્રવ્યવહાર સહિતના દસ્તાવેજી પુરાવા આપવા જણાવ્યું છે. વિભાગે પરિવારને ગિલ્ટ રજિસ્ટ્રાર કોમ્પ્યુટર ઇન્વેસ્ટર સર્વિસનો સંપર્ક કરવાની સૂચના આપી છે.

રુથિયા ભાઇઓનો દાવો છે કે મૂળ દસ્તાવેજો તેમને દાદાના વસિયતનામા સાથે મળી આવ્યા હતા. પરિવારની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સાર્વભૌમ સરકારો યુદ્ધ સમયના દેવા સહિતના જૂના દેવા ચૂકવવા માટે જવાબદાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter