એજવેરની ક્વીન્સબરી પરેડ ખાતે આવેલ મીરાઝ વિલેજ રેસ્ટોરંટના ૫, કાર્લટન પરેડ, પ્રેસ્ટન રોડ સ્થિત મીરાઝ એક્સપ્રેસ ટેકઅવેનો શુભારંભ મંગળવાર તા. ૧૬-૧૨-૧૪ના રોજ ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ શ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ રીબન કાપીને કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઅોમાં ડાબેથી સર્વશ્રી પીજી પટેલ, મનુભાઇ રામજી, નરેન્દ્ર જેસાણી, અનુપમ મિશનના પૂ. હિંમત સ્વામી, પરષોત્તમભાઇ રૂપાલા, 'ગુજરાત સમાચાર'ના એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોરભાઇ પરમાર, 'ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી સીબી પટેલ, રાજુભાઇ જેસાણી અને દિનેશભાઇ કેરાઇ નજરે પડે છે.