લંડનઃ હિન્દુજા જૂથના સ્વર્ગસ્થ ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાની સ્મૃતિમાં ભારતના મુંબઇ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જેમાં તેમના ભાઇ અશોક હિન્દુજા, બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા સહિત વિવિધ કંપનીઓના વડા, રાજકીય મિત્રો, રાજદ્વારી મંડળના સભ્યો, ફિલ્મી હસ્તીઓ અને પરમાર્થ નિકેતનના ચિદાનંદ સ્વામી સહિતના આધ્યાત્મિક અગ્રણીઓ દ્વારા સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.


