લેસ્ટરમાં માર્ગ અકસ્માતમાં 80 વર્ષીય સરદાર જોગિન્દરસિંહનું નિધન

Tuesday 28th October 2025 09:52 EDT
 
 

લંડનઃ લેસ્ટરમાં 13 ઓક્ટોબરના રોજ એક માર્ગ અકસ્માતમાં 80 વર્ષીય સરદાર જોગિન્દરસિંહનું નિધન થયું હતું. રોડ સ્વીપર દ્વારા સર્જાયેલા અકસ્માતમાં સરદાર જોગિન્દરસિંહને ગંભીર ઇજા પહોંચી હતી. હોસ્પિટલમાં થોડા કલાકની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. સરદાર જોગિન્દરસિંહના નિધનના કારણે ગુરુનાનક ગુરુદ્વારાના સભ્યો ઉંડા આઘાતમાં સરી પડ્યાં હતાં. સરદાર જોગિન્દરસિંહ આ ગુરુદ્વારના ફાઉન્ડિંગ મેમ્બર અને વાઇસ ચેરમેન રહી ચૂક્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter