અમેરિકામાં થયેલા તાજા સંશોધનો મુજબ જે લોકો રોજનો એક વાટકો પોરીજ અને અન્ય આખા ધાન્ય ખાય છે તેમને હ્રદય રોગનો હુમલો થવાની શક્યતા ઘટી જાય છે અને તેઅો તંદુરસ્ત લાંબુ આયુષ્ય ભોગવે છે.
અમેરિકાની હાવર્ડ સ્કૂલ અોફ પબ્લિક હેલ્થ દ્વારા સતત ૧૪ વર્ષ દરમિયાન એક લાખ લોકોનો અભ્યાસ કરાયો હતો. જેમાંના ૨૫% લોકો મરણ પામ્યા હતા. પરંતુ જે લોકો જીવી ગયા હતા તેમાંના મોટા ભાગના લોકો બ્રાઉન ચોખા, મકાઇ અને અન્ય આખા ધાન્ય ખાતા હતા. આપણી સંસ્કૃતિમાં પણ અવારનવાર વાર તહેવારે આખુ ધાન્ય ખાવાનો મહિમા છે જ ને!