વાયુ પ્રદૂષણમાં નજીવા વધારાને ડિપ્રેશનમાં વધારા સાથે સંબંધ

Tuesday 27th October 2020 16:17 EDT
 
 

લંડનઃ મોટાભાગે ડીઝલ વાહનો દ્વારા ઉત્પન્ન થતાં NO2એટલે કે નાઈટ્રોજન ડાયોક્સાઈડને લીધે સામાન્ય માનસિક રોગો થવાની શક્યતા ૩૯ ટકા વધી જાય છે. લોકો થોડાક પણ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવે તો તેમનામાં ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીમાં વધારો થતો હોવાનું UK adultsના આ અંગેના પ્રથમ અભ્યાસમાં જણાયું હતું. જ્યારે ઈંધણ બળવાથી અને બ્રેક લાગવાથી અથવા ટાયરની ધૂળ ઉડે તેવા નાના કણોના પ્રદૂષણમાં આ જોખમ ૧૮ ટકા વધી જાય છે. નાના કણોનું પ્રદૂષણ વધુ હોય ત્યાં રહેતા લોકોમાં ઓછાં પ્રદૂષિત વિસ્તારોમાં રહેતા લોકોની સરખામણીમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનું જોખમ બમણું હોય છે. આનુવંશિક લક્ષણો અને બાળપણના અનુભવો જેવા અન્ય પરિબળો માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વના હોવાને સંશોધકોએ સમર્થન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે વાયુ પ્રદૂષણને અટકાવી શકાય.

અભ્યાસમાં સાઉથ-ઈસ્ટ લંડનમાં રહેતા ૧,૦૦૦થી વધુ વયસ્કોનો પાંચ વર્ષથી વધુ સમય સુધી અભ્યાસ કરાયો હતો. પરંતુ, સમગ્ર વિશ્વના શહેરોના પરિણામો તેને સંબંધિત હોય. યુકેમાં લગભગ દરેક શહેરી વિસ્તારમાં પાર્ટીકલ પોલ્યુશન(કણોનું પ્રદૂષણ)નું પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન્સ કરતાં વધુ હોય છે અને દુનિયાના લગભગ ૯૦ ટકા લોકો શ્વાસમાં પ્રદૂષિત હવા લે છે.

આ સંશોધનનું નેતૃત્વ કરનારા કિંગ્સ કોલેજ લંડન ખાતેના લેક્ચરર ડો. આયોનિસ બાકોલિસે જણાવ્યું કે માત્ર વાયુ પ્રદૂષણ જ એક પરિબળ નથી જેની અસરથી માનસિક બીમારી થઈ શકે. આ પ્રદૂષણને ઘટાડવાના પગલા લેવાય તો તે આ પ્રકારની બીમારીઓને અટકાવવામાં અસરકારક પ્રાથમિક આરોગ્ય માટેનું પગલું કહી શકાય. ઈમ્પિરિયલ કોલેજ, લંડનના લેક્ચરર ડો. ઈયાન મડવેએ જણાવ્યું કે શહેરી પર્યાવરણ અને સામાજિક – આર્થિક પરિબળોના તમામ લક્ષણોને નિયંત્રણમાં લેવાય પણ વાયુ પ્રદૂષણનું પરિબળ તો રહે જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter