વૈશ્વિક પરિસ્થિતિના કારણે ભારત તેના અર્થતંત્રને તાળા મારી શકે નહીઃ દોરાઇસ્વામી

ઘણા દેશો રશિયા પાસેથી ક્રુડ ખરીદી રહ્યાં છે પરંતુ અમને મનાઇ ફરમાવે છેઃ ભારતીય હાઇ કમિશ્નર

Tuesday 29th July 2025 11:01 EDT
 

લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ ભારત દ્વારા રશિયાથી કરાતી ક્રુડ આયાતોનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓના કારણે ભારત તેના અર્થતંત્રને બંધ કરી શકે નહીં.

ટાઇમ્સ રેડિયો સાથેની ચર્ચામાં દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતના ઘણા ભાગીદાર દેશો પણ અમને ખરીદી કરવાની મનાઇ કરે છે પરંતુ તેઓ જ આ દેશો પાસેથી રેર અર્થ અને અન્ય એનર્જી પ્રોડક્ટ ખરીદી રહ્યાં છે.

ભારતના રશિયા સાથેના ગાઢ સંબંધો પર પૂછાયેલા સવાલના જવાબમાં દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, અમારા સંબંધો ઘણા પરિમાણો પર આધારિત છે. રશિયા સાથે ભારતના સંરક્ષણ સંબંધો દાયકા જૂના છે. તે સમયે પશ્ચિમના દેશો ભારતને હથિયાર વેચતા નહોતા અને અમારા પર હુમલા કરી શકાય તે માટે અમારા પાડોશી દેશોને હથિયાર આપતા હતા.

દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, એનર્જી માટે પણ અમારા સંબંધો છે. અગાઉ અમે જેમની પાસેથી એનર્જી ઉત્પાદનો ખરીદતાં હતાં તેની પાસેથી અન્યો પણ એનર્જી ઉત્પાદનો ખરીદી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter