હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગેરકાયદે ઈમિગ્રેશનની મોટી સમસ્યા હોવાનું સ્વીકારી નવી મજબૂત અને ન્યાયી એસાઈલમ સિસ્ટમ લાવવાની ખાતરી આપી છે. કન્ઝર્વેટિવ પાર્ટીની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં બોલતાં તેમણે ભાંગી પડેલી સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વર્તમાન સિસ્ટમ ન્યાયી પણ નથી કે મજબૂત પણ નથી. આ સિસ્ટમને યોગ્ય બનાવવા આગામી વર્ષે નવુ લેજિસ્લેશન લાવવામાં આવશે. જોકે, તેમણે આની વિગતો આપી ન હતી. એસાઈલમ પ્રોસેસિંગ સેન્ટર્સના અનેક વિકલ્પો તપાસવા મુદ્દે વિગતો લીક થઈ જતા હોમ ઓફિસની ભારે ટીકા થયેલી છે.
• ઓક્સફર્ડ યુનિ.ની નવી અશ્વેત વિદ્યાર્થી સ્કોલરશિપ
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષથી ૧૦ અશ્વેત વિદ્યાર્થીઓ માટે નવી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપ લોન્ચ કરવામાં આવી છે. આનું ભંડોળ યુનિવર્સિટીના બ્લેક એકેડેમિક ફ્યુચર્સ પ્રોગ્રામમાંથી અપાશે. મુખ્યત્વે હ્યુમનિટીઝ અનેકાયદાના ક્ષેત્રમાં અપાનારી સ્કોલરશિપ્સનો વિસ્તાર મેથેમેટિક્સ, ફીઝિક્સ અને લાઈફ સાયન્સીઝ અને મેડિકલ સાયન્સીઝ પ્રોગ્રામ્સમાં પણ કરવામાં આવશે. દરેક સ્કોલરશિપનું મૂલ્ય કોર્સના ખર્ચ અને સમયગાળાને આધારિત રહેશે. વિદ્યાર્થીઓને ત્રણ કે ચાર વર્ષના કોર્સની સંપૂર્ણ ફી ઉપરાંત, યુકે રિસર્ચ કાઉન્સિલના વર્તમાન દર વાર્ષિક ૧૫,૨૮૫ પાઉન્ડના ધોરણે નિર્વાહખર્ચ પણ અપાશે જેમાં, દર વર્ષે વધારો થતો રહેશે.
• સબ પોસ્ટમાસ્ટર્સનો કાનૂની વિજય
કોમ્પ્યુટર સ્કેન્ડલના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા સંખ્યાબંધ સબ પોસ્ટમાસ્ટર્સને તેમના પર લાગેલું કલંક ધોવાની તક મળી છે. પોસ્ટ ઓફિસે ક્રિમિનલ કોર્ટ ઓફ અપીલમાં જનારા ૪૭માંથી ૪૪ કેસમાં વિરોધ નહિ કરવા નિર્ણય કર્યો છે. આના પરિણામે, સબ પોસ્ટમાસ્ટર્સ સામે ચોરી, ફ્રોડ અને ખોટા હિસાબો જેવા અપરાધોના આરોપ રદ થઈ જશે. આરોપ રદ થવા સાથે સબ પોસ્ટમાસ્ટર્સ દ્વેષયુક્ત કાનૂની કાર્યવાહી બદલ પોસ્ટ ઓફિસ સામે કાનૂની દાવા પણ માંડી શકશે. અત્યાર સુધીની કાર્યવાહી અને સંબંધિત દાવાઓની પતાવટમાં કરદાતાઓની ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ખર્ચાઈ ગઈ છે. પોસ્ટ ઓફિસના ચેરમેન ટિમ પાર્કરે ઘોર નિષ્ફળતા બદલ કંપની વતી માફી પણ માગી છે. ખામીપૂર્ણ IT સિસ્ટમના કારણે પોસ્ટ ઓફિસીસની બ્રાન્ચીસના હિસાબોમાં હજારો પાઉન્ડની નાણાકીય ખાધ જોવા મળી હતી જેના માટે સબ પોસ્ટમાસ્ટર્સને જવાબદાર ગણાવાયા હતા.
• સિનેવર્લ્ડના ૧૨૮ સિનેમાગૃહ બંધ કરાશે
જેમ્સ બોન્ડ અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફિલ્મોનું રીલિઝ એપ્રિલ ૨૦૨૧ સુધી મુલતવી રખાયા પછી વિશ્વની બીજા ક્રમની સિનેમા ચેઈન સિનેવર્લ્ડ ગ્રૂપ PLCએ યુકે અને આયર્લેન્ડમાં તેના ૧૨૮ અને યુએસમાં ૫૩૬ સિનેમાગૃહો કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના પગલે ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કુલ ૪૫,૦૦૦ અને યુકેમાં ૫,૫૦૦ જેટલી નોકરીઓ જોખમમાં આવી પડી છે. કોરોના મહામારીના કારણે સિનેમાઉદ્યોગ ભારે મુશ્કેલીમાં આવી ગયો છે. સિનેવર્લ્ડે તેની અર્ધવાર્ષિક ખોટ ૧.૩ બિલિયન પાઉન્ડ હોવાનું પણ જાહેર કર્યું છે.
• રાજ્યાશ્રય પ્રક્રિયામાં ધરમૂળ ફેરફારો કરાશે
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગેરકાયદે ઈમિગ્રેશનની મોટી સમસ્યા હોવાનું સ્વીકારી નવી મજબૂત અને ન્યાયી એસાઈલમ સિસ્ટમ લાવવાની ખાતરી આપી છે. કન્ઝર્વેટિવ પાર્ટીની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં બોલતાં તેમણે ભાંગી પડેલી સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વર્તમાન સિસ્ટમ ન્યાયી પણ નથી કે મજબૂત પણ નથી. આ સિસ્ટમને યોગ્ય બનાવવા આગામી વર્ષે નવુ લેજિસ્લેશન લાવવામાં આવશે. જોકે, તેમણે આની વિગતો આપી ન હતી. એસાઈલમ પ્રોસેસિંગ સેન્ટર્સના અનેક વિકલ્પો તપાસવા મુદ્દે વિગતો લીક થઈ જતા હોમ ઓફિસની ભારે ટીકા થયેલી છે.
• ઓક્સફર્ડ યુનિ.ની નવી અશ્વેત વિદ્યાર્થી સ્કોલરશિપ
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષથી ૧૦ અશ્વેત વિદ્યાર્થીઓ માટે નવી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપ લોન્ચ કરવામાં આવી છે. આનું ભંડોળ યુનિવર્સિટીના બ્લેક એકેડેમિક ફ્યુચર્સ પ્રોગ્રામમાંથી અપાશે. મુખ્યત્વે હ્યુમનિટીઝ અનેકાયદાના ક્ષેત્રમાં અપાનારી સ્કોલરશિપ્સનો વિસ્તાર મેથેમેટિક્સ, ફીઝિક્સ અને લાઈફ સાયન્સીઝ અને મેડિકલ સાયન્સીઝ પ્રોગ્રામ્સમાં પણ કરવામાં આવશે. દરેક સ્કોલરશિપનું મૂલ્ય કોર્સના ખર્ચ અને સમયગાળાને આધારિત રહેશે. વિદ્યાર્થીઓને ત્રણ કે ચાર વર્ષના કોર્સની સંપૂર્ણ ફી ઉપરાંત, યુકે રિસર્ચ કાઉન્સિલના વર્તમાન દર વાર્ષિક ૧૫,૨૮૫ પાઉન્ડના ધોરણે નિર્વાહખર્ચ પણ અપાશે જેમાં, દર વર્ષે વધારો થતો રહેશે.
• કોવિડ સંક્રમણમાં પબ્સ, રેસ્ટોરાંનો ફાળો
સરકારના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જોનાથન વાન-ટામે ૯૦ સાંસદ અને લોર્ડ્સને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસના સંક્રમણમાં પબ્સનો ફાળો ૯ ટકા જેટલો રહ્યો હતો પરંતુ, રેસ્ટોરાં અને હોટેલ્સ સહિત તમામ હોસ્પિટાલિટી સ્થળોને ગણતરીમાં સાથે લેવામાં આવે તો આ ફાળો ૨૦ ટકાથી વધી જાય છે. સાંસદો અને લોર્ડ્સે રાત્રિના ૧૦ વાગ્યા પછી પબ્સ બંધ કરવા અને માત્ર ટેબલ સર્વિસના નિયંત્રણો પાછળનું વિજ્ઞાન સમજાવવા માગણી કરી હતી.