લંડનઃ ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કેલે જણાવ્યું હતું કે હું મારી ગર્ભાવસ્થા દરમિયાન આયુર્વેદિક ફિલોસોફીને અનુસરતી હતી. એક પોડકાસ્ટમાં મેઘન મર્કેલે આયુર્વેદમાં તેમની આસ્થા અંગે ચર્ચા કરી હતી.
મર્કેલે જણાવ્યું હતું કે, મને ભોજનને જ દવા તરીકે જોવાનું સમજાવવામાં આવ્યું હતું. તેમણે મશરૂમ સહિતના ખોરાકના ફાયદા પણ ગણાવતા જણાવ્યું હતું કે, આ પ્રકારની વસ્તુઓ આપણી કુદરતી ઇકોસિસ્ટમ અને ડાયેટરી સિસ્ટમમાં વર્ષોથી છે. તમે માનો કે ન માનો પણ હવે લોકો તેને સ્વીકારવા લાગ્યા છે.
મર્કેલે જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન મેં એક આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. તેમની સલાહના આધારે જ હું ભોજનને દવા તરીકે જોતાં શીખી હતી.