લંડનઃ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) ની અછતને લીધે NHS સ્ટાફ અને કેર વર્કર્સના કોવિડ-૧૯થી થયેલાં મૃત્યુની પબ્લિક ઈન્ક્વાયરી માટે ડોક્ટરોએ કાનૂની પ્રયાસ વધારી દીધાં છે. ફ્રન્ટલાઈન મેડિક્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા યુનિયન, ડોક્ટર્સ એસોસિએશન યુકે (DAUK)એ સરકાર સામે જ્યુડિશિયલ રિવ્યૂની ચેતવણી આપી હતી.
હેલ્થ અને સેફ્ટી એક્ઝિક્યુટિવને અપાયેલા સત્તાવાર અહેવાલ મુજબ એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે કોવિડને લીધે લગભગ ૧૨૬ હેલ્થ અને કેર વર્કર્સના મૃત્યુ થયા હતા. તેમના માલિકો માને છે કે તેમના કામને કારણે તેઓ વાઈરસથી સંક્રમિત થયા હતા. તેમાં ૧૩ એપ્રિલે સૌ પ્રથમ ડો. પીટર ટનનું મૃત્યુ થયું હતું. તેમણે મૃત્યુના ત્રણ અઠવાડિયા પહેલા રોયલ બર્કશાયર હોસ્પિટલને ચેતવણી આપી હતી કે તેમને અને તેમના સહયોગીઓને સંક્રમણ અટકાવવા માટે કીટની જરૂર છે અને તે નહીં મળે તો તેમના માટે ખૂબ મોડું અને વધુ પડતું મોડું થઈ જશે.
DAUK અને Action on Elder Abuse તરીકે જાણીતી ચેરિટી Good Law Project and Hourglass દ્વારા જણાવાયું હતું કે NHS સ્ટાફ અને કેર વર્કર્સના મૃત્યુ અથવા બીમારીમાં પીપીઈની નિષ્ફળતા એક કારણ હતું કે કેમ તેની પબ્લિક ઈન્ક્વાયરી માટે સરકારના સતત ઈનકાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.
નેશનલ ઓડિટ ઓફિસ (NAO)એ યુકેના પીપીઈ સપ્લાયની તપાસ કરી તે દરમિયાન કાનૂની કાર્યવાહી અટકી ગઈ હતી. નવેમ્બરના રિપોર્ટમાં પીપીઈની જોગવાઈ અથવા તેના ઉપયોગે કોવિડ -૧૯ સંક્રમણ અથવા મૃત્યુમાં ભાગ ભજવ્યો હતો કે કેમ તે સમજવા કોમ્પ્રિહેન્સિવ લેસન્સ લર્ન્ડ એક્સરસાઈઝની માગ કરાઈ હતી. DAUKના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હેલ્થકેર વર્કરોના મૃત્યુ તરફ દોરી જતા પરિબળોની તપાસ માટે ઈન્ક્વાયરી હાથ ધરવી જ જોઈએ.