હોરાઇઝન સ્કેન્ડલઃ સર બેટ્સને દાવા કરતાં અડધું વળતર જ ઓફર કરાયું

સર એલન બેટ્સે વળતર યોજનાઓ માટે સ્વતંત્ર સમિતિની રચનાની માગ કરી

Tuesday 27th May 2025 15:12 EDT
 

લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિતો માટે અભિયાન ચલાવનાર સર એલન બેટ્સે આરોપ મૂક્યો છે કે સરકાર વળતર માટે કાંગારૂ કોર્ટ સિસ્ટમ ચલાવી રહી છે. સરકારે મને જણાવ્યું છે કે મારા વળતરના દાવાની અસલ રકમ કરતાં અડધી રકમ લેવી હોય તો લો અથવા તો ભૂલી જાવ.

 સર એલન બેટ્સે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ પર વળતર યોજનાઓમાંથી પીછેહઠ કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે આપેલા તમામ વચનો ઠાલાં પૂરવાર થઇ રહ્યાં છે. તેમને ડિપાર્ટમેન્ટ દ્વારા કહી દેવાયું છે કે અમે આપીએ એટલું વળતર લેવું હોય તો લો અથવા તો ભૂલી જાવ. મારા અસલ દાવા કરતાં મને 49.2 ટકા રકમ વળતર પેટે આપવાની જ ઓફર અપાઇ છે.

એલન બેટ્સને હવે સરકારની વળતર પ્રક્રિયામાં કોઇ વિશ્વાસ રહ્યો નથી. તેમણે પબ્લિક સેક્ટના કૌભાંડો માટેની વળતર યોજનાઓ સ્વતંત્ર સમિતિઓ દ્વારા સંચાલિત કરવાની માગ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter