૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું તા. ૧૨મી એપ્રિલના રોજ પ્રેેસ્ટનમાં સન્માન

- કમલ રાવ Tuesday 10th March 2015 14:37 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧-૩૦થી સાંજના ૪-૦૦ દરમિયાન બ્રિટનના વૃંદાવન સમાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનું નામ, સરનામુ, જન્મ તારીખ કે ઉંમર, જન્મ સ્થળ, મૂળ વતન, ટૂંકો બાયોડેટા, તાજેતરનો ફોટો તેમજ ઉપસ્થિત રહેનાર વ્યક્તિઅોની કુલ સંખ્યા સાથેની સંપૂર્ણ માહિતી મોકલવા નમ્ર વિનંતી છે.

આવા વડિલ સન્માનના કાર્યક્રમોનું આયોજન કરવા માટે બ્રિટનના વિવિધ શહેરોમાંથી વિવિધ જ્ઞાતિ અને સામાજીક સંગઠનોના અગ્રણી સજ્જનો અને સન્નારીઅો તરફથી મારો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આવો સુંદર પ્રતિભાવ આપણી સંસ્કૃતિ પ્રત્યેની જાગરૂકતા દર્શાવે છે.

આવા સંદર અને શકવર્તી કાર્યક્રમો માત્ર 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા જ થઇ શકે તેવો અમારો કોઇ ઠેકો કે ઇજારો નથી. આપણા અસ્ત્તિત્વ, વિકાસ, પ્રગતિ અને સફળતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર આપણા વડિલો પ્રત્યે પ્રેમ અને પૂજ્યભાવ પ્રગટ કરવો જ જોઇએ એવું અમે દ્રઢપણે માનીએ છીએ. આ કાર્યક્રમના આયોજન કે વ્યવસ્થા અંગે વધુ માહિતી જોઇતી હોય તો મારો સંપર્ક કરવા વિનંતી છે.

પ્રેસ્ટનના કાર્યક્રમ માટે આપની માહિતી તા. ૫ એપ્રિલ ૨૦૧૫ પહેલા ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected] કે પછી પોસ્ટ દ્વારા કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૭મી માર્ચ ૨૦૧૫ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી છે. જો કોઇને જરૂર હોય તો આ કાર્યક્રમ માટેનું ફોર્મ પણ ઇમેઇલ દ્વારા મોકલી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter