લંડન, નવી દિલ્હીઃ ભારત સરકાર દરિયાપારની ભારતીય કોમ્યુનિટીની સાથે જોડાયેલી રહી શકે અને વિવિધ નવી અને વર્તમાન સરકારી યોજનાઓમાં તેમને સાંકળીને ભારતીય ડાયસ્પોરાના સભ્યોને મદદરૂપ બની શકે તે માટે ભારત સરકારે ‘ગ્લોબલ પ્રવાસી રિશ્તા પોર્ટલ’ની સ્થાપના કરી છે. તમામ ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા/ નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (OCIs/NRIs)ને આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે.
આ માહિતીનો તમારી પ્રતિષ્ઠિત સંસ્થાઓ/સંગઠનોના સભ્યોમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવા તેમજ તેમને https://pravasirishta.gov.in/home લિન્ક સાથે રજિસ્ટર કરવા પ્રોત્સાહિત કરશો.(સગીર માટે તેમના પેરન્ટ્સ રજિસ્ટ્રેશન કરાવી શકશે). રજિસ્ટ્રેશન કરાવવા માટે રીજિયનમાં *United Kingdom* સિલેક્ટ કરશો, મિશન માટે *London* સિલેક્ટ કરશો અને તે પછી રજિસ્ટ્રેશન કરશો.