ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી નવેમ્બરમાં બ્રિટનની મુલાકાતે આવે તેવી શક્યતા છે ત્યારે શ્રી મોદીજીને એક આવેદન પત્ર અર્પણ કરવામાં આવશે. આ અંગે અમે ગત તા. ૮ અોગસ્ટ ૨૦૧૫ના રોજ પાન નં. ૫ ઉપર આપના પ્રતિભાવ માંગી ચૂક્યા છીએ. જેમાં આપ નીચેના વિષયો પર આપના સૂચનો કમલ રાવને ઇમેઇલ [email protected] અથવા તો ટપાલ કે ફેક્સ 020 7749 4081 ઉપર લખી શકો છો. આવેદનપત્રને આખરી ઓપ આપી સપ્ટેમ્બર માસની શરૂઆતમાં વડા પ્રધાન મોદીને મોકલી અપાશે. તમારા પ્રતિભાવો સોમવાર, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ સુધીમાં મોકલી આપવા આમંત્રણ છે.
(૧) ભારતનો પ્રવાસ કરવા માટે વિઝા અને OCIનિયમો વિશે તમારા મંતવ્યો શું છે?
(૨) લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર અથવા યુકેમાં અન્ય કોઈ સ્થળે ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક વિશે તમારો શું અનુભવ કે માન્યતા છે?
(૩) ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ્સ, બેન્ક ડિપોઝીટ, પ્રોપર્ટી, લેન્ડ, શેર અને અન્ય રોકાણોની સુરક્ષા અને સલામતી વિશે તમારી કોઈ સમસ્યાઓ છે?
(૪) તમે આવતી કાલના વિશ્વમાં બહેતર ભારત માટે સ્વૈચ્છિક ભાગીદાર કેવી રીતે બનશો? તમારા પ્રસ્તાવ અને સૂચનો આવકાર્ય છે.
(૫) અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની જરુરિયાત.
(૬) ભારતને ફરીથી મહાન બનાવવા મદદરુપ અન્ય કોઈપણ સૂચનો.
આવેદનપત્રને આખરી ઓપ આપી સપ્ટેમ્બર માસની શરૂઆતમાં વડા પ્રધાન મોદીને મોકલી અપાશે. તમારા પ્રતિભાવો સોમવાર, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ સુધીમાં મોકલી આપવાનું આમંત્રણ છે.