પાંચ ગુજરાતી હસ્તિઓને પદ્મ સન્માન

Wednesday 28th January 2015 07:12 EST
 

• ગુણવંત શાહઃ પ્રખર ચિંતક અને શિક્ષણ શાસ્ત્રના અધ્યાપક રહી ચૂકેલા સુરત-રાંદેરના વતની. હાલમાં તેઓ વડોદરામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. કૃષ્ણ, રામ વગેરે વિષયના તેમના ભાષ્યો પ્રખ્યાત છે.
• તારક મહેતાઃ તારક મહેતા દુનિયાને ઊંધા ચશ્મા કોલમથી પ્રખ્યાત બન્યા છે. ‘ચિત્રલેખા’માં ૪૨ વર્ષથી પ્રકાશિત થતી આ કોલમ પરથી ટીવી સિરિયલ પણ બની છે. અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે.
• ડો. એચ. એલ. ત્રિવેદીઃ કિડનીની સારવારમાં અમદાવાદને અવ્વલ સ્થાને પહોંચાડનાર
ડો. એચ. એલ. ત્રિવેદી દાયકાઓ પૂર્વે કેનેડાની અઢળક કમાણી છોડી સેવા માટે અમદાવાદમાં સ્થાયી થયાં છે.
• ડો. તેજસ પટેલઃ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજીમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવનાર ડો. તેજસ પટેલ ૨૦૦૫માં પ્રતિષ્ઠિત ડો. બી. સી. રોય એવોર્ડથી પણ સન્માનિત છે. તેઓ એપેક્ષ હોસ્પિટલના સંચાલક છે.
• સંજય લીલા ભણશાળીઃ મુંબઇસ્થિત આ હિન્દી ફિલ્મકારે હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, રામલીલા જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેમની ફિલ્મોમાં ગુજરાતની છાંટ જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter