રેલવે પ્રધાને મોટા નિર્ણયો તો લીધા છે, પણ તેનો અર્થ શું?

વિશેષ અહેવાલ

Friday 27th February 2015 07:27 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીયોને મૂંઝવી રહેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા અહીં પ્રયાસ કર્યો છે.

• નવી ટ્રેન કેમ નહીં?

વીતેલા વર્ષમાં ૫૫૦ નવી ટ્રેન ચલાવવામાં આવી હતી. હાલમાં એક જ ટ્રેક પર સુપર ફાસ્ટ, પેસેન્જર અને માલગાડી એમ ત્રણેય ચાલે છે. ટ્રાફિક લોડ વધુ હોવાથી ટ્રેન ગતિથી ચાલી શકતી નથી. પાંચ વર્ષમાં ટ્રેકની ક્ષમતા ૧૦ ટકા વધારીને ૧.૩૮ લાખ કિ.મી. કરાશે.

• આવું શા માટે કર્યું?

નુકસાનમાંથી બહાર આવવા અને રોકાણ વધારવા માટે. કેમ કે હાલમાં રેલવેની આવક એક રૂપિયાની આવકમાંથી ૯૪ પૈસા રેલવે મેઇન્ટેનન્સ પાછળ ખર્ચ કરવામાં આવે છે. અર્થાત્ વિકાસ માટે માત્ર છ પૈસા બચે છે. તેની મદદથી નવા પ્રોજેક્ટ્સ, વીતેલા ૩૦ વર્ષમાં ૬૭૪ પ્રોજેક્ટની જાહેરાત તો થઈ, પરંતુ તૈયાર થયા માત્ર ૩૧૭ - અને તે પણ નિર્ધારિત સમય કરતાં વિલંબથી. આથી પ્રોજેક્ટ ખર્ચ વધી ગયો. રેલવેને જંગી આર્થિક નુકસાન થયું.

• શું રોકાણ વધશે?

રેલવે પ્રધાન પાંચ વર્ષમાં ૮.૫ લાખ કરોડ રૂપિયા મેળવવા માગે છે. તેના માટે વિદેશી રોકાણ ઉપરાંત પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલની વકીલાત કરી. વીતેલા ૧૫ વર્ષનો ઇતિહાસ જોવામાં આવે તો અત્યાર સુધીમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ પણ નથી આવ્યું. તેઓ જાહેરખબર દ્વારા આવકની વાત કરે છે, પરંતુ આવા પ્રયાસ તો વર્ષોથી થઈ રહ્યા છે. કેટલાક વર્ષ પહેલાં બેંગાલૂરુમાં કુરકુરે એક્સપ્રેસ ચાલી હતી, પરંતુ પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો હતો. હરિયાણાના ગુડગાંવમાં રેપિડ મેટ્રોમાં માઇક્રોમેક્સ અને વોડાફોનના નામે સ્ટેશન છે. ગંભીર પ્રયાસ કરવામાં આવે તો જાહેર ખબરના નામે ૧૦-૧૫ હજાર કરોડ રૂપિયા આવી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter