ભારતીય વિદ્યા ભવન, બેંગલુરુના ડાયરેક્ટર એચ. એન. સુરેશના અનોખા પેઈન્ટિંગ પ્રદર્શન સ્વરા રાગા ચિત્રનું ઉદ્ઘાટન ભારતની સુપ્રીમ કોર્ટના એડવોકેટ સન્થાના ક્રિણ્મના હસ્તે 14 જૂને ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 14થી 22 જૂન, સવારના 11 વાગ્યાથી સાંજના 7 કલાક સુધી ખુલ્લું રખાયું હતું. પેઈન્ટિંગ્સની ડિજિટલ પ્રિન્ટ્સમાં કોસ્મોલોજી અને ભારતીય શાસ્ત્રીય સંગીતને આવરી લેવાયા હતા
સ્વર રાગ ચિત્ર સંગ્રહ ઉપરાંત, પ્રદર્શનમાં સુરેશના અન્ય પ્રેરણાદાયી આર્ટવર્ક્સ – નવગ્રહ મંડલ અને રાશિ મંડલનો સમાવેશ કરાયો હતો. 50 પેઈન્ટિંગ્સ પાછળ ભારે સંશોધન કરાયા તેમજ દરેક ચિત્ર માટે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી ક્ષેત્રના ભારતીય અને પાશ્ચાત્ય નિષ્ણાતો સાથે આદાનપ્રદાન કરાયું હતું. આર્ટવર્ક્સનો કેન્દ્રવર્તી વિચાર કોસ્મોલોજીના સમય અને અવકાશ તત્વો સાથે સંકળાયેલો હતો. સ્વરા રાગા ચિત્ર અથવા સિંગિંગ પોટ્રેઈટ્સ ભારતના હિન્દુસ્તાની અને કર્ણાટકી શાસ્ત્રીય સંગીત વિચારધારાનું સંશોધન દર્શાવે છે. રંગ અને મિજાજની સમૃદ્ધિ પ્રદર્શિત કરતા આ ઓડિયોવિઝ્યૂઅલ માસ્ટરપિસિસ મૈસુરના તત્કાલીન મહારાજા કૃષ્ણારાજા વોડિયાર ત્રીજા દ્વારા સર્જાયેલી મહાન કલાકૃતિ શ્રી-તત્વ-નિધિ થકી પ્રેરિત છે. ભારતના મહાન વિદ્વાનો અને સંગીતકારોમાં એક ડો. ટી.એસ. સત્યાવતીએ દરેક પેઈન્ટિંગ સાથે સંકળાયેલી મધુરતાનું લેખન અને સંગીત સ્વરબદ્ધ કર્યું છે.