એજવેર સત્સંગ મંડળ દ્વારા તા. ૧૧-૨-૧૫ના રોજ સો વર્ષ પૂરા કરનાર બે સદસ્યો પૂ. ડાહીબેન જીવરાજ કરમશી શાહ તેમજ પૂ. રૂપાબેન લખમશી પેથરાજ શાહનું સન્માન કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન બેલમંટ કોમ્યુનિટી હોલ ખાતે કરાયું હતું.
આ પ્રસંગે પૂ. ડાહીબેન તેમજ પૂ. રૂપાબેનને સંગત સેન્ટરના શ્રી કાન્તીભાઇ નાગડાએ સારા તંદુરસ્તીભર્યા આયુષ્ય માટે શુભેચ્છાઅો પાઠવી પ્રતિકાત્મક ભેટ અર્પણ કરી હતી. બન્ને વડિલ દાદીમાના ચોથી પેઢી સુધીના પરિવારજનો અને મંડળના સદસ્યો મળી દોઢસો જેટલા લોકોએ તેમના સુદીર્ઘ આરોગ્ય તેમજ સુખાકારી માટે પ્રાર્થના કરી ભોજનનો લાભ લીધો હતો.