હેય્ઝ સ્થિત નવનાત સેન્ટરમાં શનિવારે યોજાયેલા શાનદાર સમારોહમાં ગુજરાત સમાચારના 53મા જન્મદિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત અને ગુજરાતીતાની ઝાંખી કરાવતા આ સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી લઇને માનવંતા વાચકો અને મહેમાનો ઉપસ્થિતિ રહ્યા હતા. સમારોહમાં બે મિનિટનું મૌન પાળીને પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો, આફ્રિકાના યુવા ઉદ્યોગપતિ સ્વ. રાજીવ રુપારેલિયા તેમજ પરિવારજનો વચ્ચેથી વિદાય લઇ ગયેલા સ્વજનોને હૃદયાંજલિ અપાઇ હતી. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) લોર્ડ ક્રિશ રાવલ, ગિરીશ સંગેર, સી.બી. પટેલ, પ્રદીપભાઇ તથા વિણાબહેન ધામેચા, જ્યોત્સનાબહેન તથા વ્રજભાઇ પાણખાણીઆ, એમપી બોબ બ્લેકમેન અને કાંતિભાઇ નાગડા સહિતના માનવંતા મહેમાનો.