ગ્રેનફેલ પીડિતોની ટીકા બદલ રીસ-મોગે માફી માગી

Wednesday 13th November 2019 04:00 EST
 
 

લંડનઃ હાઉસ ઓફ કોમન્સના લીડર ઓફ જેકબ રીસ-મોગે ગ્રેનફેલ પીડિતોની ટીકા બદલ રીસ-મોગે માફી માગી છે. તેમણે અગાઉ દાવો કર્યો હતો કે ગ્રેનફેલ ટાવર હોનારતના પીડિતોએ તેમની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને બિલ્ડીંગમાં જ રહેવા માટેની સત્તાવાર સલાહની અવગણના કરવી જોઈતી હતી.

તેમના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. તેમને ગ્રેનફેલ પીડિતોની મુલાકાત લેવાનો અનુરોધ કરાયો હતો. પીડિતોના ગ્રૂપે જણાવ્યું હતું કે તેમની ટીપ્પણી જૂન ૨૦૧૭માં લંડનના ટાવર બ્લોકમાં આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૭૨ લોકોના ’અપમાન સમાન’ હતી. ગ્રૂપની આ પ્રતિક્રિયા બાદ રીસ-મોગે માફી માગી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter