લંડનઃ મોટાભાગે જ્યારે નવજાત શિશું ઉંઘવાને બદલે રડતું હોય છે ત્યારે માતા પિતા ચિંતામાં મુકાય છે અને તેને ચુપ રાખવા પ્રયાસ કરે છે. તાજેતરમાં ૧૮૦ બ્રિટિશ માતાઓને આવરી લઇને કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જેઓ બાળકોને શાંત કરવાને બદલે રડવા દે છે તેઓના બાળકોમાં સેલ્ફ કંટ્રોલ વધે છે. આવા બાળકો પોતાની રીતે જાત પર નિયંત્રણ રાખતા શીખી જાય છે.
આ રીતે રડનારા બાળકોને તરત શાંત કરવાને બદલે થોડાક સમય માટે રડવા દેવા જોઇએ તેમ જાણકારોનું માનવું છે.